📌શાળાઓ દ્વારા શૈક્ષણિક વર્ષ-૨૦૨૦-૨૦૨૧ માં પ્રથમ પરીક્ષા (૫૦ ગુણ)ની પ્રત્યક્ષ અથવા ઓનલાઈન યોજાયેલ છે જ્યારે દ્વિતીય પરીક્ષા (૫૦ ગુણ) ની અને વાર્ષિક પરીક્ષા (૮૦ ગુણ) યોજાયેલ નથી.ત્યારે
🔎ધોરણ 9 અને 11ના પરિણામ માટે
- પરિણામ ડાયરેક્ટ બનાવવા માટે
- નીચેની લિન્ક પર ક્લિક કરો
- ધોરણ-9 અને 11 માટે
- પરિણામ બનાવવા માટેની
- એક્ષ્સેલ સીટ (-સોફ્ટવેર)
🔗CLICK ME
📌માસ પ્રમોશનના નવા નિયમો જાણી લો
- ધોરણ 9 અને 11ના પરિણામ અંગે
- હવે માર્કશીટ તૈયાર કરવા માટેના
- નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે
📌ધોરણઃ 9, 11 માં 70 માર્ક્સના
- આધારે પરિણામ તૈયાર થશે
- માર્કશીટ અંગેના નિયમો જાહેર કરવામાં આવ્યા છે
- પાસ થવા માટે ખૂટતા માર્ક્સ
- સિદ્ધિ-કૃપા ગુણથી અપાશે
📌ધોરણ-૧ થી ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત બાદ
- હવે માર્કશીટ તૈયાર કરવા માટેના નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
- તે મુજબ ધોરણ-9 અને 11ના
- વિદ્યાર્થીઓની 50 ગુણની પ્રથમ કસોટી
- અને ર૦ ગુણ આંતરિક મૂલ્યાંકનના
- મળીને કુલ 50+20=70 માર્ક્સના આધારે
- પરિણામ તૈયાર કરવામાં આવશે.
📌કૃપા ગુણ પણ મેળવી શકાશે
- પરીક્ષામાં પાસ થવા માટે ખૂટતા માર્ક્સ
- સિદ્ધિ ગુણ અને કૃપા ગુણ આપીને પૂર્ણ કરાશે.
- આચાર્ય 10 કૃપા ગુણ આપી શકે તે જોગવાઈ
- આ વર્ષ પૂરતી રદ કરવામાં આવી છે,
- જેથી વિદ્યાર્થીને પાસ થવા માટે
- ખૂટતા ગુણ આચાર્ય કૃપા ગુણ તરીકે આપી શકશે.
- એટલે કે આચાર્ય ૧૦ ગુણ થી વધુ
- અને વિદ્યાર્થીને પાસ માટે ખૂટતા હોય
- તેટલા કૃપા ગુણ આપી શકશે.)
- આ કૃપા ગુણ પણ વત્તા(+)
- અલગ ગુણ દર્શાવવાના રહેશે.
- (દા.ત.૨૮-૫) આવા વિદ્યાર્થી રેન્કને પાત્ર રહેશે નહીં.
📌કેવી રીતે મૂકવાના વિભાગ મુજબ માર્કસ
- ધોરણ-9 અને ધોરણ-11ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના આંતરિક મૂલ્યાંકન માટે
💠ધોરણ-9
- સામાયિક કસોટીના 10 ગુણ,
- નોટબુક સબમિશનના 5 ગુણ,
- સબ્જેક્ટ એનરિચમેન્ટ એક્ટિવિટીના 5 ગુણ
- એમ કુલ 20 ગુણ નક્કી કરવામાં આવ્યા છે.
💠ધોરણ-11
- ધોરણ-11 સામાન્ય પ્રવાહ માટે
- ટર્મ પેપર-સ્વાધ્યાયના 10 ગુણ,
- પુસ્તકાલયમાંથી ઉપયોગી પુસ્તકના અવલોકનના 5 ગુણ અને
- પ્રોજેક્ટ્સના પ ગુણ મળીને 20 ગુણનું
- ગુણાંકન કરવાનું રહેશે.
💠ધોરણ-૧૧ સામાન્ય પ્રવાહ,
- વ્યવસાયલક્ષી અને
- ઉત્તરબુનિયાદી પ્રવાહના
- આંતરિક મૂલ્યાંકન માટે
- ટર્મ પેપર કુલ-૧/સ્વાધ્યાય કુલ-૧ (૧૦ ગુણ),
- પુસ્તકાલયમાંથી અભ્યાસના
- ઉપયોગી એક પુસ્તકનું અવલોકન (૦૫ ગુણ)
- અને પ્રોજેક્ટસ (૦૫ ગુણ) એમ
- કુલ આંતરિક મૂલ્યાંકન (૨૦ ગુણ)
- માટે સૂચનાઓ આપવામાં આવેલ છે.
- તે મુજબ આંતરિક મૂલ્યાંકનનું ગુણાંકન કરવાનું રહે
💠70 ગુણમાંથી મેળવેલા ગુણને
100 ગુણમાં રૂપાંતરિત કરાશે
- આમ કર્યા બાદ પરિણામ તૈયાર કરવાનું રહેશે,
- જેથી વિદ્યાર્થીને રૂપાંતરિત થયા બાદ
- વિષયમાં 33 કરતાં વધુ ગુણ આવે
- તો તેને પાસ જાહેર કરાશે,
- પરંતુ 33 કરતાં ઓછા ગુણ હોય તો
- દરેક ટકાદીઠ 1 ગુણ
- તેમ વધુમાં વધુ 15 ગુણની મર્યાદામાં રહીને
- પાસ થવા માટે ખૂટતા ગુણ આપી શકાશે.
No comments:
Post a Comment